એક સવારે ચાલી નીકળી,
મને શોધવાને હું,
મને શોધી મેં
જીવનની વ્યસ્તતામાં,
ઘર, ઓફીસ ને ફાઈલો ની દુનિયામાં,
સવાર થી સાંજની દોડમાં,
થાકી ગઈ, ક્યાંય ન હતી હું,
હું તો હતી…
પરોઢના આછા ઉજાસમાં,
રાત્રીના અંધકારમાં,
બાળકના સ્મિતમાં,
ફૂલોની વચ્ચે,
પંખીની સાથે ઉડતી,
પવન સાથે વાત કરતી,
મોજાઓ સાથે લહેરાતી,
પછી
ક્યાંથી મળું હું?
વાસ્તવિકતા અને મનોજગત બંને વચ્ચે સંતુલન જરૂરી છે. જ્યારે આ સંતુલન ગુમાવીએ ત્યારે પોતાની જાતને જડવું યે મુશ્કેલ થઈ જાય છે.
hmmmmm…. સાચે જ જરૂરી છે. 🙂
શા માટે જરુરી છે તે આપણે પંચકોશની મદદથી સમજવાની કોશીશ કરીએ. આપણું અસ્તિત્વ પાંચ કોશોથી બનેલું છે.
૧. અન્નમય કોશ – સ્થુળ શરીર – જે અન્નથી બને છે – અન્ન મેળવવા માટે વાસ્તવિક જગતમાં રહેવું પડે. પશુ, પક્ષી વગેરેને પણ અન્ન મેળવવા મહેનત કરવી પડે.
૨. પ્રાણમય કોશ – જે વધારે સુક્ષ્મ છે. જેમાં બધી કામનાઓ રહે છે – શરીરની નસ નાડીઓમાં રક્ત પહોંચાડવાનું – શરીરને વ્યવસ્થિત અને ધબકતું રાખવાનું કાર્ય કરે છે. પ્રાણાયામ કરવાથી શાંતી મળે છે તેનું કારણ તે છે કે થોડો વખત માટે શુદ્ધ ઓક્સીજન મળે છે – બીન જરૂરી કામનાઓનો નીકાલ થાય છે.
૩. મનોમય કોશ – આ કોશમાં મન મુખ્ય છે – જે વિચારો અને સંકલ્પ – વિકલ્પનું બનેલું છે. વધારે સુક્ષ્મ છે અને વધારે જટીલ છે.
૪. વિજ્ઞાનમય કોશ : જેમાં બુદ્ધિ પ્રધાન છે – જે નિર્ણય લેવાનું કાર્ય કરે છે.
૫. આનંદમય કોશ – જેમાં માત્ર કારણ શરીર અથવા તો અધિષ્ઠાનરુપે મુળ અજ્ઞાન અથવા તો માયા રહે છે. ત્યાં અજ્ઞાન હોય છે પણ તે આનંદરુપ હોય છે તેથી તેની પાર જવાની ઈચ્છા નથી થતી. સુષુપ્તિ અથવા તો ગાઢ નિંદ્રાના સમયે વ્યક્તિ આનંદમય કોશમાં પહોંચી જાય છે.
૬. સમાધિ અથવા તો કોશાતિત અવસ્થામાં સર્વ બંધનોથી મુક્ત પોતાનું સ્વરુપ અનુભવાય છે – જે યોગીઓ સતત ધ્યાનના અભ્યાસથી પ્રાપ્ત કરે છે અને જ્ઞાનીઓ ચિંતન, મનન અને નિદિધ્યાસન દ્વારા પ્રાપ્ત કરે છે.
થોડોક વિષય અઘરો લાગે કે ઉપરથી જાય તો ચિંતા ન કરવી – કારણકે મનગમતો વિષય ચર્ચવાની ક્યારેક મળતી તકને હું જવા દેવા નથી ઇચ્છતો 🙂
તમારી કમેન્ટની એક સરસ પોસ્ટ તૈયાર થાય એમ છે. 🙂
તૈયાર કરજો 🙂
Health is first priority.
ચાલવા માટે જાઉ છુ 🙂
🙂 🙂 🙂
કાર્લમાર્ક્ષ અને તત્વજ્ઞાન વચ્ચે ખૉવાઈ ગયેલી હયાતીનું કાવ્ય, દરેક માણસનો સર્વકાલીન અનુભવ છે,
ગમ્યું.વાંચજો મારાં કાવ્યો @
http://himanshupatel555.wordpress.com
આભાર
Thank you.
બહુ જ સરસ પ્રીતિ, જાત સાથે જીવવાની થોડીક ક્ષણૉ હંમેશા ખજાનાની જેમ સંભાળજે.. એ કદી ન ખોવાય…
લતા
જરૂર… 🙂
ચાલ તને મારી એક કવિતા મોકલું… હમણાં તો કવિતા નથી લખાતી પણ મૂળે હુંયે કવિતાનો જ જીવ છું લતા
હું એટલે ……..
સાવ કોરો કાગળ જોઇએ મારે
ને એમાં મારું સ્થાન, મારી દિશા
હું જ નક્કી કરું
લીટીઓ દોરી આપે કોઇ મારા રસ્તાની
એ વાત મને મૂળે જ અસ્વીકાર્ય
મારા શબ્દોને કોઇ કહે એમ ખસવાનું
એટલું જ ઉતરવાનું કે ચડવાનું
મને મંજુર નથી
એક પણ અક્ષર સીધી લીટી જેવો નથી
માનવી પણ જુઓને !!
એક એક અક્ષર નોખો
એક એક માનવી અનોખો
પર્વત, શિખર, નદી, ઝરણાં, તરણાં
ઇશ્વરે એને ક્યાંય લીટીઓથી બાંધ્યા નથી
હું એટલે મારામાં વહેતું ઝરણું
મારામાં ઉગતું તરણું
ને એમાંથી પ્રકટતા શબ્દો
….
લતા હિરાણી
અખંડ આનંદ જુલાઇ 2004 (મુંબઇ સમાચારમાં નલિની માડગાંવકર અને જન્મભુમિમાં મહેશભાઇએ આ કવિતા પર લખ્યું હતું.)
…………………………………………………………………………………..
યસ અને આ કવિતાની છેલ્લી બે લાઇન કાઢી નાખ તો સારું. કવિતા ત્યાં જ પૂરી થઇ જાય છે, “ક્યાંથી મળું હું ?” બહુ જ સરસ કવિતા
લતા
ખુબ જ સરસ કવિતા બદલ આભાર
અને હા, તમારા સુચન પર જરૂર અમલ કરીશ.
સાચ્ચી વાત… આજે આ નોકરી,ધમાલ,દોડ-ધામ અને ઓફીસનાં ટેન્શનના લીધે ફેમિલી માટે તો શું, પોતાના માટે પણ સમય નથી રહ્યો.!
preeti ,aap khub sundar lakho chho …saras ane saral shabdoma sachot abhivyakti karo chho…..abhinandan …..
Thank you Preetiji 🙂